Skip to product information
1 of 1

Kishorelal Mashruwala

gita manthana (Geeta Manthan)

gita manthana (Geeta Manthan)

Regular price $0.00 USD
Regular price Sale price $0.00 USD
Sale Sold out
Shipping calculated at checkout.
Quantity

આ જાતના આપણી નવી પેઢીના વાચકો મોટે ભાગે મૂળ 'ગીતા' સંસ્કૃતમાં નહિ વાંચી શકે. તેમ 'ગીતા'ના સળંગ અનુવાદમાં પણ એમને ઘણાખરાને રસ ન પડે તેવું બને. એવા લોકો 'ગીતા'નો આસ્વાદ જેના વડે કરી શકે એવું એક ઉત્તમ પુસ્તક કિશોરલાલ મશરૂવાળાનું 'ગીતામંથન' છે, તેનો આનંદદાયી અનુભવ મને છેક જીવનના સાતમા દાયકામાં થયો. તે આનંદમાં મારા જેવા બીજા સામાન્ય વાચકોને સહભાગી બનાવવાના હેતુથી એ પુસ્તકને ખૂબ ટૂંકાવીને સંકલિત કરવાનો આ નમ્ર પ્રયાસ છે. મૂળ પુસ્તકમાં સવા લાખ જેટલા શબ્દો હશે, તેના છઠ્ઠા ભાગ જેટલો નાનો આ સંક્ષેપ થયો છે.
આ પુસ્તક લખતી વેળાએ પોતાની દૃષ્ટિ આગળ વિચારી પણ સાધારણ ભણેલો વર્ગ જ હતો, એવું જણાવનાર લેખકે 'ગીતા'ના અઢારેય અધ્યાય વિશે મંથન કરેલું છે; તેમાંથી સાત મારા જેવા વાચકોને કદાચ અઘરા લાગશે એમ ધારીને છોડી દીધા છે. ''પહેલા ત્રણ અધ્યાયોમાં 'ગીતા'ના ખાસ ઉપદેશના સર્વે મુદ્દાઓ આવી ગયા. પછીના અધ્યાયોમાં કોઈ નવો સિધ્ધાંત આવતો નથી, પણ એ ઉપદેશોનું વિશેષ સ્પષ્ટીકરણ આવે છે;'' એવું શ્રી કિશોરલાલભાઈનું કથન છે. એ ત્રણ ઉપરાંત બીજા આઠ અધ્યાયોનો પણ, સરળતામાં બાધ ન આવે તે રીતે, આ સંક્ષેપમાં સમાવેશ કરેલો છે.

View full details